બોટાદ : વસતી ગણતરી સંદર્ભે તા.૧૧મીએ તલાટીઓની બેઠક
આગામી બોટાદ તાલુકાના તલાટી મંત્રીઓની વસતિ ગણતરી-૨૦૧૧ની કામગીરીના અનુસંધાને એક અગત્યની બેઠક મામલતદાર કચેરી, બોટાદ ખાતે તા.૧૧ માર્ચ ગુરૂવારે બપોરના ૧૨-૦૦ વાગે રાખવામાં આવેલ છે. તમામ તલાટી કમ મંત્રીશ્રીઓએ આ મીટીંગમાં ધરયાદી નંબરો સાથેની, બ્લોકની વિગત તથા બ્લોકની ચતુઃસીમાની વિગતો સાથે અચુક ઉપસ્થિત રહેવા બોટાદ મામલતદારની યાદીથી જણાવાયું છે.

