જૈન આચાર્ય ભગવંતોના આર્શીવાદ મેળવતાં મુખ્યમંત્રી શ્રી
July 30, 2010 by Editor
Filed under CM, Gandhinagar, NOW
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે પાલીતાણા જૈનતીર્થ ક્ષેત્રમાં બિરાજતા આચાર્ય શ્રી અભયદેવ સૂરિ મહારાજ સહિત વરિષ્ઠ જૈન આચાર્ય ભગવંતો અનુ સાધુ સાધ્વીજી મહારાજને મળીને ભકિતભાવથી વંદન કર્યા હતા. આચાર્ય ભગવંત શ્રીઓએ શ્રી નરેન્દ્રભાઇ મોદીને આશીર્વચન આપ્યા હતા.
પાલિતાણામાં ૬૧મા વન મહોત્સવના પ્રારંભે પાવક વન નિર્માણમાં વૃક્ષારોપણ કરીને શ્રી નરેન્દ્રભાઇ મોદી જૈન મંદિરના દર્શનાર્થે પહોંચીને આચાર્ય ભગવંતોની નિષ્ઠામાં વંદન કર્યું હતું.

